હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ચતુર્થ તથા અંતિમ દિવસે સમાપન સમારોહમાં સ્કૂલના વિધ્યાર્થીઓએ દેશભક્તિ,સાયબરસેફ્ટી અને ભારતના ઇતિહાસ વિષય પર સુંદર ડાન્સ – ડ્રામા અને નાટિકાની પ્રસ્તુતિ કરી. આ અવસરે પરમ પૂજનીય દ્વારકેશલાલજી વૈષણવાચાર્ય,કલ્યાણ પુસ્ટિ હવેલી,અમદાવાદ દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યું કે પારિવારિક સંસ્કાર અને જીવન મૂલ્યોનો અભાવ છે તેના માટે સેવા સંસ્થાઓ ચિંતિત છે,જીવનમાં આપણાંમાં આચાર ,વિચાર અને સંસ્કારની સંપન્નતા લાવવી હશે તો તેને આપણાં આચાર -વિચારમાં ઉતારવા પડશે.સમાજમાં વિવિધ મેળાઓ યોજાતા હોય છે પરંતુ આ મેળાનો સંકલ્પ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓનું યોગદાન એ ધ્યાનમાં આવે તેના માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા માં આપણે જે શ્રવણ અને દર્શન કર્યું એ સમગ્ર ઉપદેશ અને આદેશને આત્મસાત કરી સનાતનની જયજયકાર માટે કાર્ય કરવું જોઈએ.
પૂ. સંતપ્રસાદ સ્વામીએ (હાલોલ) પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે આપણે પ્રકૃતિ,ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત અને સજાગ થવાની જરૂર છે. જો 50% સમાજ આપણાં સાંસ્કૃતિક ચિન્હો ધારણ કરતો થઈ જાય તો આપણી સમસ્યાઓનું આપમેળે નિવારણ આવી જશે.
ચાર દિવસના આ ભવ્ય કાર્યક્રમનો લાભ આશરે 8 લાખ લોકોએ લીધો.264 સેવા સંસ્થાઓના સ્ટોલ આ મેળામાં હતા. તે સિવાય લાઈવ કુંભ દર્શન, અયોધ્યા રામ મંદિર દર્શન,CRPF,RAF,ISRO,આદિવાસી સમાજની ઝાંખી,સ્વામી આયપ્પા મંદિર,મહર્ષિ વશિષ્ઠ યજ્ઞ શાળા સહિત અનેક સંસ્થાઓએ સુંદર ઝાંખી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


