Category Archives: News

16-03-2025

संघ शताब्दी वर्ष में घोष कार्य का गुणात्मक विकास हेतु यह कार्यक्रम संपन्न हुआ।
गुजरात प्रांत के ४८ जिला/भाग से ३९ जिला /भाग के घोष वादक उपस्थित रहे।
प्रांत से चयनित कुल – २४३ घोष वादक उपस्थित रहे।

यह कार्यक्रम दो चरण में सुनिश्चित किया गया था………

👉 १. भारत – पाकिस्तान ० लाइन बोर्डर पर १:१०(७० मिनट ) स्थिर वादन और संचलन ।
( आनक – शंख – वेणु/ शृंग – मधुरिका) मिलाकर कुल २९ रचनाओं का वादन हुआ।
👉 २. BSF RETREAT स्थान पर १:१५ (७५ मिनट )घोष वादन ३ प्रात्यक्षिक के साथ स्थिर वादन में ३३ रचनाओं का वादन हुआ।

सार्वजनिक कार्यक्रम में कुल २७०० से अधिक बंधु – माता – भगीनी – विशेष सज्जन शक्ति, नागरिक उपस्थित रहे।

विशेष उपस्थित……

१.श्री जयंतीभाई भाडेसिया ( पश्चिम क्षेत्र मां. संघ चालक + अध्यक्ष सीमा जागरण मंच)
२.श्री भरतभाई पटेल ( गुजरात प्रांत मां. संघ चालक)
३.श्री कृणालभाई रुपापरा ( गुजरात प्रांत सह प्रचारक)
४.श्री कमलेशभाई रादडिया ( सौराष्ट्र प्रांत सह प्रचारक)
५.श्री जिवनभाई आहिर ( गुजरात – सौराष्ट्र सीमा जागरण मंच संयोजक)
६.श्री रामभजन लाहिरी (पंजाब प्रांत घोष प्रमुख)

विशेष आमंत्रित….

1.श्री मनोजसुदन राव (CO 8 BATTALION – BSF GUJARAT)

2.श्री सालरिया जी ( SECOND IC COMMANDANT – BSF)

3.श्री संदिपकुमार (DEPUTY COMMANDANT – BSF)

4.श्री हरि चरण जी (BSF OFFICER – NADABET)

विशेष उल्लेखनीय वृत्त……….

१. बनास रचना का पहली बार सार्वजनिक वादन किया गया।
२. शृंग दल में जयोस्तुते – कदम कदम बढ़ाए जा गीत और राष्ट्रगान जन गण मन का वादन हुआ।( स्थान पर उपस्थित सभी लोगों ने खड़े होकर वादन के साथ राष्ट्रगान गाया।)
३. कार्यक्रम के लिए नया गीत गुजराती ( सीमा पर संघोष भारत का जय घोष) बनाया गया।

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ચતુર્થ તથા અંતિમ દિવસે સમાપન સમારોહમાં સ્કૂલના વિધ્યાર્થીઓએ દેશભક્તિ,સાયબરસેફ્ટી અને ભારતના ઇતિહાસ વિષય પર સુંદર ડાન્સ – ડ્રામા અને નાટિકાની પ્રસ્તુતિ કરી. આ અવસરે પરમ પૂજનીય દ્વારકેશલાલજી વૈષણવાચાર્ય,કલ્યાણ પુસ્ટિ હવેલી,અમદાવાદ દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યું કે પારિવારિક સંસ્કાર અને જીવન મૂલ્યોનો અભાવ છે તેના માટે સેવા સંસ્થાઓ ચિંતિત છે,જીવનમાં આપણાંમાં આચાર ,વિચાર અને સંસ્કારની સંપન્નતા લાવવી હશે તો તેને આપણાં આચાર -વિચારમાં ઉતારવા પડશે.સમાજમાં વિવિધ મેળાઓ યોજાતા હોય છે પરંતુ આ મેળાનો સંકલ્પ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓનું યોગદાન એ ધ્યાનમાં આવે તેના માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા માં આપણે જે શ્રવણ અને દર્શન કર્યું એ સમગ્ર ઉપદેશ અને આદેશને આત્મસાત કરી સનાતનની જયજયકાર માટે કાર્ય કરવું જોઈએ.

પૂ. સંતપ્રસાદ સ્વામીએ (હાલોલ) પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે આપણે પ્રકૃતિ,ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત અને સજાગ થવાની જરૂર છે. જો 50% સમાજ આપણાં સાંસ્કૃતિક ચિન્હો ધારણ કરતો થઈ જાય તો આપણી સમસ્યાઓનું આપમેળે નિવારણ આવી જશે.

ચાર દિવસના આ ભવ્ય કાર્યક્રમનો લાભ આશરે 8 લાખ લોકોએ લીધો.264 સેવા સંસ્થાઓના સ્ટોલ આ મેળામાં હતા. તે સિવાય લાઈવ કુંભ દર્શન, અયોધ્યા રામ મંદિર દર્શન,CRPF,RAF,ISRO,આદિવાસી સમાજની ઝાંખી,સ્વામી આયપ્પા મંદિર,મહર્ષિ વશિષ્ઠ યજ્ઞ શાળા સહિત અનેક સંસ્થાઓએ સુંદર ઝાંખી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) નું ઉદ્ઘાટન મા. શ્રી અમિતભાઈ શાહ (કેન્દ્રીય ગૃહ મંત્રી, ભારત સરકાર) ના હસ્તે મા. શ્રી સુરેશ ભય્યાજી જોશી (અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય, રા.સ્વ.સંઘ), મા. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત સરકાર) ની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આધ્યાત્મ અને સેવાના ભવ્ય સંગમ સમાન એવો આ મેળો તારીખ 23 થી 26 જાન્યુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી મેદાન, હેલ્મેટ સર્કલ પાસે, અમદાવાદ ખાતે યોજાયેલો છે.

કાર્યક્રમના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે યાદ કરીની બોલતા જણાવ્યું કે સંતો, મહંતો, મઠો દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે પરંતુ તેનો પ્રચાર કરવામાં આવતો નથી તે સેવાકાર્યો અને સંસ્થાઓને એક મંચ આપવાનો પ્રયાસ એટલે હિંદુ અધ્યાત્મ અને સેવા મેળો. હિંદુ સંતો, મહંતો, મઠો અને અન્યો દ્વારા ચાલતા વિશ્વપ્રસિદ્ધ કાર્યોનું ઉદાહરણ એટલે કુંભમેળો જે અંગ્રેજોના સમયે, મુઘલોના સમયે અને કોંગ્રેસના શાસનમાં પણ યોજાતો રહ્યો જેમાં સરકારનું યોગદાન તો શ્રીરામ સેતુ નિર્માણમાં ખિસકોલીએ આપેલા યોગદાન જેટલું જ હોય છે. કુંભથી મોટો એકતા અને સમરસતાનું સૌથી મોટુ ઉદાહરણ છે. મેળામાં પૂણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરના સ્ટોલ જોવાનો આગ્રહ કરતા તેમણે કહ્યું કે દેવી અહ્લ્યાબાઈ હોલકર પોતાના યુગમાં અંધકારમાં વિજળી સમાન હતા તેમણે 80 થી વધારે ધર્મસ્થાનોનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. ત્યારે અહિં 200 થી વધારે સંસ્થાઓને અક મંચ આપવાનો પ્રયાસ હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનનો અભિનંદનીય છે.

શિવાનંદ આશ્રમના પ્રમુખ પૂજ્ય શ્રી પરમાત્માનનદજીએ પોતાના આશિર્વચન આપતા કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં એક માન્યતા છે કે હિંદુ ધર્મ એક જીવન પદ્ધતિ છે એની પાછળ હિંદુ જીવન દર્શન છે જેના અનેક પાસાઓ છે જેમાનું એક છે જીવન ધર્મમય હોવું જોઇએ. ધર્મ એટલે કર્તવ્ય પરાયણતા, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાનું કર્તવ્ય, ઉત્તરદાયિત્વ નિભાવવું એટલે જ આપણા આદર્શ ભગવાન શ્રી રામ છે. આપણે આપણા કર્તવ્યની માંગ પ્રમાણે સેવા કાર્યો કરીએ છીએ પરંતુ અન્ય ધર્માવલંબીઓ જ સેવા કરે છે તેવી ભ્રામક માન્યતા ઉભી કરવામાં આવી હોવાથી સમયની માંગ પ્રમાણે આપણે આવા મેળા કરવા પડે છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આપણી સંસ્કૃતિ આધ્યાત્મ, ધર્મપરાયણતા અને સેવાના પાયા ઉપર ઉભી થઈ અને વિકસી છે. આ સંસ્કૃતિના મૂળમાં સત્વ અને તત્વ એટલા ઉંડા છે કે અન્ય સંસ્કૃતિઓ કાળક્રમે વિલિન થઈ ગઈ જ્યારે ભારતીય સંસ્કૃતિ અખંડ રહી છે. હિંદુ અધ્યાત્મિક અને સેવા સંસ્થાન સેવા કાર્યો દ્વારા મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે પ્રયાસરત છે. આ મેળાના માધ્યમથી લોકો સેવા, સંસ્કાર અને અધ્યાત્મની ભાવનાને બળવત્તર બનાવશે.   

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય શ્રી ભૈયાજી જોશીએ જણાવ્યું કે અહિં ઉપસ્થિત ઘણા લોકો સ્વતંત્ર દેશમાં જન્મેલા છે. દેશમાં હમણા જે પરિવર્તનના ચક્રનો પ્રારંભ થયો છે, વિશ્વના મંચ ઉપર દેશનું જે સન્માન થઈ રહ્યું છે તેના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે ત્યારે અહીં ઉપસ્થિત સૌ તેના મૂક સાક્ષી ન બની રહેતા સક્રીય સહયોગી બને તેવી અપેક્ષા છે. આ પૂણ્યભૂમિ છે, દેવતાઓની ભૂમિ છે, સન્યાસીઓની ભૂમિ છે અને તે સૌના આશિર્વાદ આપણને પ્રાપ્ત છે. ત્યાગ અને સેવાની દ્રષ્ટી આપતી આ ભૂમિ છે અને એમાં આપણો જન્મ થયો છે. વિશ્વભરમાં એવો ભ્રમ ઉભો કરવામાં આવ્યો છે કે સેવા કરવાવાળા ચોક્કસ વર્ગના જ લોકો જ હોય છે જોકે ભારતમાં તો એક પરંપરા છે કે જેમાં ભંડારા, લંગર, અન્નક્ષેત્ર વગેરે સતત ચાલતા રહેતા હોય છે જેમાં પ્રતિદિન આશરે એક કરોડ લોકો ભોજન લેતા હોય છે. આજે ભારતની ધાર્મિક સંસ્થાઓ અનેક પ્રકારના સેવા કાર્યો સંતોના માર્ગદર્શનથી કરવામા આવી રહ્યા છે. હિંદુ એટલે ધર્મ, અધ્યાત્મ, વિચાર, જીવનશૈલી, જીવનના મૂલ્યો અને સેવા છે. હિંદુ ધાર્મિક આધ્યાત્મિક સંસ્થાઓ માત્ર પૂજાપાઠ, અનુષ્ઠાન કે કર્મકાંડ પૂરતી જ સિમિત નથી તેઓ અનેક સેવા કાર્યો વિદ્યાલયો, ચિકિત્સાલયો, વૈદિક જ્ઞાન આપતા ગુરુકુળો પણ ચલાવી રહ્યા છે અને સેવા કરતા રહ્યા છે. ધર્મની વાત કરીએ એટલે સેવા કર્તવ્ય આવે જ છે.

આ મેળામાં સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સંયોજકશ્રી ગુણવંતસિંહ કોઠારી, સ્વામીશ્રી લલિત કિશોરદાસ મહારાજ, પૂજ્ય માધવપ્રિયદાસજી મહારાજ, શ્રી ભાગેશ જહા, ઉપરાંત હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન ગુજરાત ના  શ્રી તુલસીરામ ટેકવાણી (પ્રાંત અધ્યક્ષ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન),  નારણભાઈ મેઘાણી (પ્રભારી, પશ્ચિમ ક્ષેત્ર, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન), ઘનશ્યામભાઈ વ્યાસ (સચિવ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન) સાધુ-સંતો, મહંતો, પ્રબુદ્ધ નાગરિકો, કાર્યકરો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.

10-01-2025

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજિત હિંદુ અધ્યાત્મિક અને સેવા મેળાના કાર્યાલયનું ઉદ્ઘાટન 09-01-2025 ના રોજ પ.પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી (અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ, આર્ષ વિદ્યામંદિર), પ.પૂ. મહંત શ્રી દયાલપુરી બાપુ (શ્રી હર ગંગેશ્વર મહાદેવ, હથીદરા), આચાર્ય ગોસ્વામી રણછોડલાલજી (શ્રી આભરણાચાર્ય) ગોસ્વામી હવેલી, અમદાવાદ, શ્રી મિહિરભાઈ પંડ્યા (ઝાયરા ડાયમંડ), શ્રીમતી નીરીજાબેન ગુપ્તા (ઉપકુલપતિ, ગુજરાત યુનીવર્સીટી)ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાના માર્ગદર્શક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાએ કહ્યું કે હિંદુની અવધારણા છે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, જ્યારે સમગ્ર વિશ્વ આઈડેન્ટીટી ક્રાઈસીસમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે હિંદુ શું કરે છે? ભારત શું કરે છે? અને ભારતમાં ગુજરાત શું કરે છે? તે તરફ સૌની દૃષ્ટિ છે.
આ અવસરે શ્રીમતી નીરીજાબેન ગુપ્તાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આપણી જે આખી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની એક મહાગાથા છે અને આજે આપણે બૌદ્ધિક, સંસ્કૃતિક, શારીરિક આક્રમણમાં અટવાઈ ગયા છીએ જો ત્યારે આપણી મહાગાથાને સમજી લઈએ તો કોઈપણ જાતનો મુંજવણમાં પડીએ જ નહિ. 
આચાર્ય ગોસ્વામી રણછોડલાલજીએ (શ્રી આભરણાચાર્ય) પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે આપણે ત્યાં ધર્મની પરિભાષા જ એ છે કે જે આચાર વિચાર આપણે ધારણ કરીએ છીએ એજ ધર્મ છે. આ કાર્ય ખુબજ સુંદર થાય, બધા લોકો આનો લાભ લઇ શકે, સમાજને સાચી દિશા મળે તેવી હું મારી શુભેચ્છાઓ પ્રકટ કરું છું.
પ.પૂ. મહંત શ્રી દયાલપુરી બાપુએ (શ્રી હર ગંગેશ્વર મહાદેવ, હથીદરા) પોતાના આશીર્વચનમાં કહ્યું કે આપણી સંતાનોમાં આપણી સંસ્કૃતિના વિચાર સુદ્રઢ થાય એના માટેનું આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે જ જો આપણે જતન કરીશું તો સો ટકા આપણે ભારત ને વિશ્વગુરૂના સ્થાને સ્થાપિત કરી શકીશું. 
મુખ્ય વક્તા પ.પૂ. પરમાત્માનંદ સરસ્વતીજીએ (અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ, આર્ષ વિદ્યામંદિર) પોતાના આશીર્વચનમાં કહ્યું કે માણસ ક્યારે માણસ બનેલો કહેવાય જયારે એના જીવનમાં મર્યાદા આવે ત્યારે એ માણસ કહેવાય. શું કરવું અને શું ન કરવું એનું નામ જ જીવન શિક્ષણ છે. આજે પર કેપિટા આવક વધારવાની વ્યવસ્થા છે પરંતુ પર કેપિટા સંસ્કાર વધારવાની કોઇ વ્યવસ્થા નથી, જે ઉભી કરવી પડશે, રાષ્ટ્ર ભાવના પ્રસ્થાપિત કરવાની છે. આર્થિક માળખુ છે પરંતુ સામાજીક, ધાર્મિક સાંસ્કૃતિક માળખા ઘસાતા જાય છે તેને જાળવવાનો પ્રયાસ છે હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળો.  
હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાના પ્રાંત અધ્યક્ષ શ્રી તુલસીરામ ટેકવાણીએ સ્વાગત ઉદ્બોધન કર્યું હતું જ્યારે નારણભાઈ મેઘાણીએ (પ્રભારી, પશ્ચિમ ક્ષેત્ર, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન) મેળો યોજાવાનો છે તે સ્થાનમાં યોજાનારા કાર્યક્રમોનો ભૌગોલિક પરિચય આપ્યો હતો. હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાના સચિવ ઘનશ્યામભાઈ વ્યાસે ૨૩ થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન પ્રતિદિન આયોજિત થનારા કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

02-01-2025

ધરમપુરમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં કર્યું શ્રીમદ્ રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલા પૂજન અને તકતી અનાવરણ.

શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીના 125માં વર્ષ નિમિત્તે યોજાએલ સર્વરોગ નિદાન અને સારવારના મફત સેવાયજ્ઞનું કર્યું ઉદ્ઘાટન.  

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતએ 2 જાન્યુઆરી 2025ને ગુરુવારના રોજ ધરમપુર ખાતે તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુર ની મુલાકાત લીધી હતી. જ્યાં શ્રી મોહનજી ભાગવતએ ‘શ્રીમદ રાજચંદ્રજી’ની પૂર્ણકદની પ્રતિમાના દર્શન કરી જલાભિષેક કર્યો હતો.

આ પ્રસંગે તેમના વક્તવ્યમાં તેમણે કહ્યું હતું કે , “શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમા સામે આવતાં જ હાથ જોડાઈ જાય છે. અહીં આવવું મારા માટે સૌભાગ્યની વાત છે કારણકે દેશને ઉન્નત કરવાનું કામ જ્યાં જ્યાં થી થાય છે, ત્યાં જવું જ જોઈએ. આવા સ્થાન પર અમારી બેટરી ચાર્જ થાય છે. વિશ્વમાં સામુહિક શક્તિ કે વૈભવના ઉદાહરણ અનેક દેશોએ આપ્યા છે, પણ સત્યની ઓળખાણ ભારત જ આપી શકશે અને ત્યારે જ વિશ્વમાં શાંતિનું સ્થાપન થશે. ભારતમાં રાષ્ટ્ર અને ધર્મ બે નથી, એક જ છે. ધર્મનું ઉત્થાન એટલે રાષ્ટ્રનું ઉત્થાન છે. એટલે આપણે પરસ્પર પૂરક છીએ”

ત્યારબાદ ગુરુદેવ રાકેશજીના સથવારે જિનમંદિર જઈ ભગવાન મહાવીરનાં દર્શન કર્યા હતા. આ અવસરે મોહનજી ભાગવતનાં હસ્તે શ્રીમદ રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલાન્યાસ કરાયું અને ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત ચાર દિવસીય  મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું દીપ પ્રજ્વલિત કરી ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં દેશ-વિદેશનાં 150 થી વધુ ડોકટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની મેડિકલ સેવાઓ આપવામાં આવશે.

તેઓએ આને એક અધ્યાત્મ યાત્રા ગણાવી હતી. મુલાકાત દરમિયાન તેઓએ આશ્રમના વિવિધ સ્થળો અને મિશન દ્વારા દેશ વિદેશમાં ચાલી રહેલ અનેક સેવાયજ્ઞોની ઝાંખી મેળવી હતી.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત બાદ મોહનજી ભાગવતએ શ્રી સદગુરુધામ, બરૂમાળની  મુલાકાત લીધી હતી જ્યાં પ. પૂ. વિદ્યાનંદ સરસ્વતી મહારાજના દર્શન કરી તેમની જોડે વાર્તાલાપ કર્યો હતો.

 

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું (HSSF) આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મ અને સેવાનું ભવ્ય સંગમ એવો આ મેળો ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ ખાતે યોજાશે. મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કાર્યક્રમ આજરોજ શ્રી ચીમનભાઈ અગ્રવાલ (ચેરમેન, અગ્રવાલ ગ્રુપ) ના હસ્તે, પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી, SGVP-ગુરુકુળ, છારોડી, કર્ણાવતીની પ્રેરેક ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન પર સંપન્ન થયો.

આ અવસરે પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી આશીર્વચન આપતા કહ્યું હતું કે હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન આપણને એક સાથે ગૂંથે છે. હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે અને હિંદુ સમાજની શક્તિને જગાડવા માટે આવા મેળા વારંવાર કરવા બહુજ જરૂરી છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ જેવો વૈજ્ઞાનિક કોઈ ધર્મ નથી, જરૂરીયાત છે આપણે જાણવાની. મેળામાં વિજ્ઞાનનો સમન્વય ખુબજ આવકારદાયક છે.

સંસ્કૃતમાં જે અપાર વિજ્ઞાન પડ્યું છે તેની વૈજ્ઞાનિકોને ઓછી ખબર છે. જે સમસ્યાનું સમાધાન વિજ્ઞાન નથી કરી શકતું તેનું સમાધાન વેદ કઈ રીતે કરી શકે છે તે અંગેના સેમિનારો શરુ થઇ ચુક્યા છે. આપણે પરમ વૈજ્ઞાનિક ધર્મના વારસદારો છીએ આપણ ને લઘુતાગ્રંથીનો પોસાય. ક્યારેય નહિ માની લેવાનું કે હિંદુ ધર્મમાં અન્ય મિશનરી જેવી સેવા નથી. સેવાઓ તો અપરંપાર છે આપણ ને સ્મૃતિ નથી અને આવા મેળાઓ એ સ્મૃતિ ને જાગરણ કરશે એવો અમારા અંતરમાં વિશ્વાસ છે.

શ્રી ભગ્યેશભાઈ જાહએ ( હિંદુ અધ્યાત્મિક અને સેવા સંસ્થાનના માર્ગદર્શક, અધ્યક્ષ – ગુજરાત સાહિત્ય એકાડમી) પોતાના પ્રવચનમાં કહ્યું કે હિંદુ સમાજ એક છે આપણે એનું પ્રદર્શન કરવાનું છે. ભૂમિ પૂજન એટલે પ્રકુતિ પૂજન ભૂમિ એ આપણી માતા છે. અને કઈ પણ કામ કરતા પહેલા આપણે એની આજ્ઞા લઈએ છીએ.

શ્રી તુલસીરામ ટેકવાણી (અધ્યક્ષ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત), શ્રી ઘનશ્યામભાઈ વ્યાસ ( સચિવ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત) મંચ પર ઉપસ્થિતિ રહ્યા હતા.

શ્રી નારાયણભાઈ મેઘાણી (પ્રભારી, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, પશ્ચિમ ક્ષેત્ર), દ્વારા મેળા સ્થળના નકશા દ્વારા સંપૂર્ણ મેળાની રચનાની માહિતી આપવામાં આવી હતી. આ અવસરે શ્રી એમ.પી. પંડ્યા શાળા,  જેતલપુરના વિદ્યાર્થીઓ દ્વારા ફ્લેશ મોબ/નાટિકાનું સુંદર મંચન કરવામાં આવ્યું. આ વિધાર્થીઓ દ્વારા અમદાવાદના ૩૦૦થી વધુ સ્થાનો પર ફ્લેશ મોબ/નાટિકા દ્વારા મેળા વિષય માહિતી આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં અનેક મહાનુભવો સહીત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

29-12-2024 Karnavati

નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા અમદાવાદ ખાતે ૨૯ ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું દ્વિદિવસીય ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કિશોરભાઈ મકવાણા, અધ્યક્ષ- રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે સંસ્કૃત ભાષામાં એવા પ્રકારનું સામર્થ્ય વિદ્યમાન છે જે સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રમાં પોરવી શકે છે. સંસ્કૃત ભાષા એ મા ભારતીનો ધબકારો છે. તેમના વક્તવ્યમાં તેઓએ શિડ્યુલ કાસ્ટ ફેડ્રેસન અને ડૉ. બાબાસાહેબ આંબેડકરજીનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેઓ પણ સંસ્કૃત ભાષાના અને સંસ્કૃતને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાના સમર્થક હતા. સંસ્કૃત ભાષા જન સામાન્યની ભાષા બને તેના માટે થઈને સંસ્કૃતભારતીના કાર્યકર્તાઓ અથાક પરિશ્રમ કરી રહ્યા છે.

તેમજ સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી જયપ્રકાશ ગૌતમજી મહોદયે પોતાના વક્તવ્યમાં જણાવ્યું છે સમાજ કલ્યાણ માટે પ્રેરિત થઈને સમર્પિત ભાવથી કાર્ય કરવું જોઈએ. શરીર, વચન, મન, ઇન્દ્રિય, બુદ્ધિ અને આત્મસમર્પણ ભાવથી કાર્ય કરીએ તોજ સફળ થઈ શકે છે.

કાર્યક્રમમાં સારસ્વત અતિથિ તરીકે પધારેલ નર્મદા નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે આપણા બધા ધર્મગ્રંથો સંસ્કૃત સાથે જોડાયેલા છે‌ તેમાં રહેલા સંસ્કૃતના શ્લોકો પરિવારના લોકોને પણ કંઠસ્થ હોય છે તેથી આપણી ભારતીય સંસ્કૃતિ વૈભવશાળી છે.

કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે ગુર્જર પ્રાંતના અધ્યક્ષ ડૉ. કૃષ્ણપ્રસાદ નિરોલાજીએ ગુર્જર પ્રાંતના વિવિધ જિલ્લામાંથી આવેલ ૩૨૯ કાર્યકર્તાઓને શપથવિધિ કરાવી કે સન્નીષ્ઠ ભાવથી સંસ્કૃત કાર્યમાં જોડાઈને રાષ્ટ્રની સેવા કરીશું.

28-12-2024

ભારતીય જ્ઞાનનો મૂળભૂત પાયો સંસ્કૃત ભાષા છે – શ્રી જયપ્રકાશ ગૌતમ

નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા, અમદાવાદ ખાતે ૨૮ ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન સત્ર પ. પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજની અધ્યક્ષનામાં યોજવામાં આવ્યું.  પ્રેરણા પીઠાધીશ્વર પ.પૂ. જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વરજી મહારાજે પોતાના ઉદ્બોધનમાં સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે સંસ્કૃતભારતી સંગઠન દ્વારા ચાલી રહ્યા પ્રયત્નો માટે પ્રશંસા વ્યક્ત કરી. તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ભારત દેશની સંસ્કૃતિની રક્ષા સંસ્કૃત વગર ન થઈ શકે અને માત્ર દસ દિવસના શિબિરમાં સરળ માધ્યમથી સંસ્કૃત શીખવાડવાનું અદ્વિતીય કાર્ય સંસ્કૃતભારતી કરી રહી છે.

મુખ્ય વક્તા સંસ્કૃત ભારતી અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી જયપ્રકાશ ગૌતમ મહોદયે ભારતીય જ્ઞાનનો મૂળભૂત પાયો સંસ્કૃત ભાષા છે, ભારતીય જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિને નુકશાન કરવા આ જ્ઞાન સંસ્કૃતિ જે પાત્રમાં સંગ્રહિત છે તે પાત્ર સંસ્કૃતને તોડવા વિવિધ વિમર્શ ઊભા કરવામાં આવે છે, માટે આપડે જાગૃત બની તે પાત્રનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવવી પડશે ત્યારે જ આપણું સ્વનું તંત્ર સ્થાપિત કરી શકાશે, આ પ્રસંગે પ્રાંત અધ્યક્ષ ડૉ. કૃષ્ણ પ્રસાદ નિરોલા મહોદય દ્વારા આભાર વ્યક્ત કરેલ.

સંસ્કૃત ભારતી પોતાની વિશિષ્ટ શૈલી દ્વારા સંસ્કૃત સંભાષણના માધ્યમથી સમગ્ર વિશ્વમાં ક્રાંતિ લાવવા પ્રયત્નશીલ છે. અત્યાર સુધીમાં દસ કરોડથી વધારે લોકોને સંસ્કૃત સંભાષણ કરાવ્યું છે અને એક લાખથી વધારે પ્રશિક્ષિત સંસ્કૃત શિક્ષકો સંસ્કૃત સંભાષણના કાર્યને ગતિ આપી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં 5000થી વધારે સંસ્કૃતગૃહમ્ છે, ત્યાં પરિવારના દરેક સભ્ય સંસ્કૃતમાં વાત કરી શકે છે. અત્યારે ૨૬ દેશોમાં ૪૫૦૦થી વધારે સંસ્કૃત ભારતીનાં કેન્દ્રો ચાલી રહ્યા છે તેમજ ત્યાં સરળ અને મનોરંજન માધ્યમોથી સંસ્કૃત બોલવાનું શીખવાડવામાં આવે છે.

ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનમાં સંસ્કૃત ભાષાના વિકાસ માટે ચર્ચા-વિચારણા કરીને આગામી ત્રણ વર્ષોની યોજનાઓ સુનિશ્ચિત કરવા ગુર્જર પ્રાંતમાંથી ૭ વિભાગો અને ૨૨ જિલ્લામાથી ૩૨૯ કાર્યકરો એકત્રિત થઈને આગામી બે દિવસ ચિંતન કરશે.

ઉદઘાટન સમારંભમાં સંમેલન સ્વાગત સમિતિના અધ્યક્ષ રાજેશભાઈ પટેલ આર કે જવેલર્સ વિસનગર, સ્વાગત સમિતિ ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ પટેલ ગાંધીનગર મેટ્રો દૈનિક, સંસ્કૃત ભારતી ગુજરાત ન્યાસના ન્યાસી વલ્લભભાઈ રામાણી તેમજ ડૉ. કે.એસ.પુરોહીતજી તેમજ પ્રેરણા પીઠના ટ્રસ્ટી હર્ષદભાઈ પટેલ ઉપસ્થિતિ રહેલ.

૧૪-૧૫ ડિસેમ્બરે અમદાવાદમાં ‘વસુધૈવ કુટુંબકમ્ કી ઓર 3.0’ સંમેલનનું આયોજન

જૈનાચાર્ય યુગભૂષણસૂરિજી મહારાજના માર્ગદર્શનમાં વિદ્વાનોના ચર્ચાસત્રો યોજાશે

અમદાવાદ, ૫ ડિસેમ્બર , પ્રતિષ્ઠિત “વસુધૈવ કુટુંબક્મ કી ઓર” સંમેલનની ત્રીજી શ્રેણી આગામી ૧૪-૧૫ ડિસેમ્બર, ૨૯૨૪ના રોજ અમદાવાદના ગીતાર્થ ગંગા ઉપાશ્રય ખાતે યોજાશે. આ કાર્યક્રમ ૭૯મા આધ્યાત્મિક વડા પરમ પવિત્ર જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના નેતૃત્વ હેઠળ આયોજીત કરવામાં આવી રહ્યો છે. આ સંમેલનમાં કાનૂની અને આંતરરાષ્ટ્રીય ભૂ ભૌગોલિક – રાજકીય વિષયો પર વ્યાપક ચર્ચા કરવામાં આવશે.

૨૦૦૯માં સ્થાપિત બિન સરકારી સંસ્થા ‘જ્યોત’ દ્વારા આયોજિત આ વર્ષના સંમેલનમાં વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન(VIF) , ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગીતાર્થ ગંગા , મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવર્સિટી,મુંબઈ, વાડિયા ગાંધી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ,અમદાવાદ તેના પાર્ટનર રહેશે,
આ વિદ્વત સંમેલનમાં મુખ્યત્વે બે વિષયો રહેશે :

૧. કાનૂની પરિપ્રેક્ષ્ય (૧૪ ડિસેમ્બર): સાર્વભૌમત્વ , મૂળભૂત બંધારણ અને બિનસાંપ્રદાયિકતા.

૨. ભૂ ભૌગોલિક-રાજકીય પરિપ્રેક્ષ્ય: વૈશ્વિક મત અને ધ્રુવીકરણ તથા ભારતની વિશ્વ બંધુ તરીકેની ભૂમિકા.

વસુધૈવ કુટુમ્બકમ સંમેલનની અગાઉની બે આવૃત્તિઓમાં ‘આર્યનીતિ અને વૈશ્વિક વ્યવસ્થા’ ના સંદર્ભમાં વિચારોનું ખેડાણ થયું હતું. ૨૦૨૨ની આવૃત્તિનો કેન્દ્રવર્તી વિચાર વૈશ્વિક વ્યવસ્થાના ઐતિહાસિક સંદર્ભ પર રહ્યો હતો. ૨૦૨૩ની આવૃત્તિમાં વેસ્ટર્ન વર્લ્ડ અને ગ્લોબલ સાઉથ કે જે ઉભરતી વૈશ્વિક વ્યવસ્થાથી આગળ છે તેના ભવિષ્ય પર વાર્તાલાપ થયો હતો. બંને સંમેલનમાં થયેલા રાજકીય, આર્થિક અને આધ્યાત્મિક નેતાઓ વચ્ચેના સંવાદને પ્રશંસા મળી હતી તદુપરાંત બીજી આવૃત્તિમાં વસુધૈવ કુટુમ્બકમ પર આધારિત વિકાસશીલ વિશ્વ વ્યવસ્થાને મુક્ત અને ન્યાયી બનાવવાની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી.

આ ત્રીજી આવૃત્તિ પ્રાચીન શાસ્ત્રો અને સમકાલીન વિચારોને આવરી લેશે તથા વૈશ્વિક શાસન વ્યવસ્થાના પડકારોનું વિશ્લેષણ કરશે. આ ચર્ચાસત્રોમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ શ્રી એમ. આર. શાહ, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલો શ્રી આર્યમા સુન્દરમ્, શ્રી ગોપાલ શંકર નારાયણ અને શ્રી દેવદત્ત કામત , ભારતની સર્વોચ્ચ અદાલતના સોલિસિટર જનરલ શ્રી વિક્રમજીત બેનર્જી, ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ શ્રી દેવાંગ નાણાવટી, ઇન્ડિયા ફાઉન્ડેશનના નિર્દેશક શ્રી અશોક બંસલ, ભૂતપૂર્વ રાજદૂત અને ઇન્ડિયન ફોરેન અફેર્સ જર્નલના સંચાલક શ્રી અચલ મલ્હોત્રા, બેરિસ્ટર અને કન્સલ્ટન્ટ, વિધર્સ LLP- લંડન શ્રી ડૉ.અનિરુદ્ધ રાજપૂત વગેરે પ્રતિષ્ઠિત કાનૂની-જીઓ પોલિટિકસ ક્ષેત્રના દિગ્ગ્જ્જોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બંને દિવસે સવારે આંતરિક ચર્ચાસત્ર અને બપોરે જાહેર સંવાદ સત્રો યોજાશે.

આ સંમેલન ભારતના આધ્યાત્મિક અને બંધારણીય ઇતિહાસમાં નોંધપાત્ર સીમાચિન્હ સમાન છે, જેમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના નિર્વાણનું ૨૫૫૦મુ વર્ષ, ભારતીય બંધારણની ૭૫મી વર્ષગાંઠ, મૂળભૂત માળખાના સિદ્ધાંતની ૫૧મી વર્ષગાંઠ અને એસ.આર બોમ્માઇ ચુકાદાની 30મી વર્ષગાંઠનો સમાવેશ છે. બોમ્માઈ જજમેન્ટ ભારતની બંધારણીય ઓળખના અભિન્ન અંગ તરીકે બિનસાંપ્રદાયિકતા પર ભાર મૂકે છે.

આધ્યાત્મિક માર્ગદર્શક અને દૃષ્ટિ

આ સંમેલન ૭૯મા આધ્યાત્મિક નેતા પરમ પવિત્ર જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના માર્ગદર્શનથી પ્રેરિત છે જે સમકાલીન વૈશ્વિક મુદ્દાઓ સાથે આધ્યાત્મિક જ્ઞાનને જોડવામાં તજજ્ઞ છે. આ સંમેલનનું વર્તુળ મુખ્યત્વે તેમના આધ્યાત્મિક અને બિનસાંપ્રદાયિક શાસન વિશેના જ્ઞાન પર રહેશે.

૧૦૮ જેટલી બાબતો પર ૧૫,૦૦૦ વિષયવસ્તુનો જ્ઞાનકોશ તૈયાર કરતી આધ્યાત્મિક સંશોધન સંસ્થા, ગીતાર્થ ગંગા ખાતે થતા અતુલનીય સંશોધન દ્વારા પણ આ સંમેલનમાં સહભાગીઓને જ્ઞાન પ્રાપ્ત થશે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રતિબિંબિત કરતી સુમેળભરી વૈશ્વિક નીતિને તૈયાર કરવાનો છે. આ સંમેલન કાયદા, આધ્યાત્મિકતા અને વૈશ્વિક રાજકીય પરિપ્રેક્ષ્યના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પ્રદાન કરશે.સંમેલનની વિશેષ વિગતો www.vk.jyot.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

10-12-2024

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રંટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, મંદિરોમાં તોડફોડના વિરોધમાં અને ઇસ્કોનના સંત ચિન્મય દાસજીની તત્કાળ મુક્તિ માટે આજ રોજ વિશ્વ માનવ અધિકાર દિવસે વલ્લભ સદન, સાબરમતી રિવર ફ્રંટ ઉપર હિંદુ હિત રક્ષા સમિતિ, કર્ણાવતી દ્વારા સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશાળ માનવ સાંકળ બનાવીને પ્રદર્શન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંતના સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં કહ્યું કે સંપૂર્ણ હિંદૂ સમાજ બાંગ્લાદેશના પીડિત હિન્દુઓ સાથે છે. પ્લાસીના યુદ્ધ બાદ વિજયી અંગ્રેજ સૈન્ય કૂચ કરતુ હતુ,  2000 સૈનિક હતા જોનારા હજારો હતા જો તેમણે પ્રતિકાર કર્યો હોત તો ભારતમાં અંગ્રેજ શાસન કદાચિત સ્થપાયું જ ન હોત.

માનવ અધિકાર છે, એવો આત્મરક્ષાનૉ અધિકાર છે. ભારત સશક્ત ન થાય એવા પ્રયાસ થઈ રહ્યા છે. પાડોશી દેશોની સ્થિતિ તેનું ઉદાહરણ છે. દેશમાં ગૃહયુદ્ધ માટે ષડયંત્ર ચાલી રહ્યા છે. જેની સામે દેશ શક્તિશાળી બનીને ઉભો રહે, નાક દબાવો તો મોઢુ ખુલે એ આપણે જાણીએ છીએ. આપણે બાંગ્લાદેશમાં દેશમાં રહેલા હિન્દુઓને સંદેશ આપીએ કે આપણે એમની સાથે છીએ જેથી તેઓ અત્યાચાર સામે મજબૂતીપૂર્વક પ્રતિકાર કરી શકે.

સાધના સપ્તાહીકના તંત્રી શ્રી ભાનુભાઈ ચૌહાણે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર તત્કાળ બંધ થાય અને ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસજીને મુક્ત કરવામાં આવે એવી માંગ કરતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાનો સંદેશ સૌને વાંચી સંભળાવ્યો હતો.

જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય દિલિપદાસજી મહારાજે કહ્યું, હિંદુ આટલો મોટો વિશાલ સમુદાય હોવા છતાં નાનું બાંગ્લાદેશ આપણા મંદિર તોડે એ શરમજનક વાત છે. વસુધૈવ કુટુંબકમની ભાવના ધરાવતા હિન્દુઓ પર બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચાર તત્કાલિક બંધ થાય અને ધ્વસ્ત તથા તોડવામાં આવેલા મંદિરોનું પુનઃસ્થાપિત કરવામાં આવે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આમાં કાર્યવાહી કરીને શાંતિ સ્થાપવા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારોને ડામવામાં આવે તેવી માગ છે.

ઈસ્કોનના શ્રી રામચરણ દાસજી મહારાજે કેન્દ્ર સરકાર દ્વારા બાંગ્લાદેશ સરકારને અનુરોધ કરે સનાતન ધર્મના અનુયાયીઓ ઉપર થઈ રહેલા અન્યાય બંધ કરવામાં આવે એવી માંગ કરતા કહ્યું એક ડિસેમ્બરે વૈશ્વિક સ્તરે ઈસ્કોને વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આપણે આપણા ધર્મ ગ્રંથોનો સંદેશ આપણને ધ્યાન હોવો જોઈએ પ્રચાર પ્રસાર કરવો જોઈએ. આપણે ચોક્કસ વિજયી થઈશુ. ઈસ્કોન જેણે સમગ્ર વિશ્વમાં શાંતિ અને બંધુતનો સંદેશ આપ્યો છે તેની ઉપર આતંકવાદી હોવાના આરોપ લગાવવા ઉચિત નથી તેનો વિરોધ થવો જોઈએ

સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી અક્ષરચરણ દાસ સ્વામીએ કહ્યું, કળીયુગમાં શક્તિ એકતામાં રહેલી છે. હિન્દુઓના અત્યાચાર સામે આપણી એકતા એ સૌથી મોટું શસ્ત્ર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેની સામે આપણે સાથે છીએ. આ માત્ર હિન્દુઓની નહિ પણ સમગ્ર વિશ્વની સમસ્યા છે. શરીરના એક ભાગમાં પીડા થાય તો તેનો અનુભવ સમગ્ર શરીરને થાય છે એવી જ રીતે બાંગ્લાદેશના હિન્દુઓ પરનો અત્યાચાર સમગ્ર વિશ્વ ઉપરનો અત્યાચાર છે બંગ ભૂમિ અનેક સંતો અને નેતાઓને મહાપુરુષોની જન્મભૂમિ રહી છે ત્યાં માનવ અધિકારોનું હનન સ્વીકાર નથી. આ અત્યાચાર કોઈપણ ભોગે બંધ થવો જોઈએ. વિશ્વના કોઈપણ ખૂણે હિન્દુઓ મંદિર પર, હિન્દુઓ ઉપર હિન્દુઓના માનવ અધિકાર ઉપર હુમલા ન થવા જોઈએ.

અંતે સૌ સંતોએ માનવ સાંકળ બનાવી બાંગ્લાદેશના હિન્દૂ ઉપર થતા અત્યાચાર બંધ થાય,  સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસજીને મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી